સુસ્વાગતમ.....

* ભલે પધાર્યા. સુસ્વાગતમ. આપ નું હાર્દિક સ્વાગત છે ગુજરાત ના નર્મદાતટ ના એક પવિત્ર યાત્રાધામ ચાંદોદ માં. આપ ની ચાંદોદ ની યાત્રા આપનો એક સુખદ અનુભવ બની રહે એવી શુભેચ્છા. ચાંદોદ વિહાર કરાવતા આ બ્લોગ ઉપર આપનું હર્દય પૂર્વક આવકાર કરું છું. પુન પધારજો. *

Friday, February 11, 2011

ચાંદોદ ખાતે ૧૦/૦૨/૧૧ ના રોજ સુંદરકાંડ ના પાઠ નું સફળતાપૂર્વક આયોજન



તા.૧૦/૦૨/૧૧, મહા સુદ સાતમ ના રોજ માં નર્મદા ની જયંતી નિમિત્તે ચાંદોદ ના અગ્રણી બ્રહ્મસમાજ ના આગેવાનો દ્વારા શ્રી અશ્વિન પાઠક ના કંઠે સુંદરકાંડ ના પાઠ નું શ્રી મલ્લ્હારાવ ઘાટ પર સુંદર રીતે આયોજન કરવા માં આવ્યું હતું. જેના કાર્યક્રમ ના એક ભાગ રૂપે ચક્રપાની ઘાટે " શ્રી નર્મદે હર " એવું ફૂલો થી લખવામાં આવ્યું હતું અને તેની ઉપર દીવડા શણગારવામાં આવ્યા હતા. એ દ્રશ્ય આહલાદક હતું. આ કાર્યક્રમ ના ફોટા જોવા માટે અહી ક્લિક કરો.



No comments:

Post a Comment