સુસ્વાગતમ.....

* ભલે પધાર્યા. સુસ્વાગતમ. આપ નું હાર્દિક સ્વાગત છે ગુજરાત ના નર્મદાતટ ના એક પવિત્ર યાત્રાધામ ચાંદોદ માં. આપ ની ચાંદોદ ની યાત્રા આપનો એક સુખદ અનુભવ બની રહે એવી શુભેચ્છા. ચાંદોદ વિહાર કરાવતા આ બ્લોગ ઉપર આપનું હર્દય પૂર્વક આવકાર કરું છું. પુન પધારજો. *

Monday, April 9, 2012

ચાંદોદ માં નદી કિનારા ના ઘાટ નો સુંદર પુનરોધ્ધાર

ચાંદોદ માં નદી કિનારા ના ઘાટ નો સુંદર પુનરોધ્ધાર

થોડાક દિવસો પૂર્વ ચાંદોદ ગામ માં સૌથી વધુ ચહલપહલ ધરાવતો વિસ્તાર એટલે કે મલ્લ્હારાવ ઘાટ કે જે ખુબજ પૌરાણિક છે તેનો પુનરોધ્ધાર કરવામાં આવ્યો અને એ પણ તેનો સુંદર રીતે રંગરોગાન કરીને. નોંધ કરી શકાય એવી બાબત છે કે મલ્લ્હારાવ ઘાટ કિનારે હોડી ચલાવી ને પોતાનું ગુજરાન ચલાવનારા નાવિકોએ પોતાના સુંદર મેનેજમેન્ટ થી આર્થિક આયોજન કરીને આ અતિ પ્રાચીન એવા સુંદર ઘાટ નું નવીન રંગરોગાન કરાવી ને આ ઘાટ ને એક નવુજ રૂપ આપ્યું છે જે ખરેખર આવકારદાયક છે. આ નાવિકો ના અથાગ પ્રયત્ન થકી ચાંદોદ ને આજે આ મલ્લ્હારાવ ઘાટ નું નવું રૂપ પ્રદાન થયું છે એ બદલ ચાંદોદ ગામ આ નાવિકો ના જૂથ અને તેમના સુંદર મેનેજમેન્ટ ને આવકારે છે. આજકાલ ગામ માં આવનાર દરેક યાત્રીઓ આજ ના આ મલ્લ્હારાવ ઘાટ નું સુંદર નવું રૂપ જોઇને અતિ આનંદ પ્રાપ્ત કરે છે. આ નવા રંગરોગાન ને તો નદી કિનારા નું સ્વરૂપ જ બદલી નાખ્યું લાગે છે. 

  


આજ પ્રકાર ના સાહસ ને આવકારવા અને પ્રોત્સાહિત થઇ ને ચાંદોદ નો બ્રામ્હણ સમાજ પણ આગળ આવ્યો અને તેઓએ એકઠા થઇ ને ચાંદોદ ના બીજા એક ઐતિહાસિક એવા ચક્રતીર્થ ઘાટ ને પણ નવું રંગરોગાન કરાવી ને તેને તદ્દન નવું જ રૂપ આપી દીધું જે ખરેખર ખુબજ સુંદર કામ થયું છે. વર્ષો થી નવા રંગરૂપ ની માંગણી કરતો આ ઘાટ આજે તેના નવા રૂપ થી સૌ ના મન ને મોહિત કરી રહ્યું છે અને માં નર્મદા ના પાવન જળ થી પવિત્ર થઇ ને સૌ ને પાવન કરી રહ્યો છે. 



માળી કુંડળ ના ઘાટ નું કામકાજ ચાલુ છે,અને તે પણ તેના નવા રૂપરંગ માટે સજ્જા થઇ રહ્યો છે. 



નર્મદે હર.