સુસ્વાગતમ.....

* ભલે પધાર્યા. સુસ્વાગતમ. આપ નું હાર્દિક સ્વાગત છે ગુજરાત ના નર્મદાતટ ના એક પવિત્ર યાત્રાધામ ચાંદોદ માં. આપ ની ચાંદોદ ની યાત્રા આપનો એક સુખદ અનુભવ બની રહે એવી શુભેચ્છા. ચાંદોદ વિહાર કરાવતા આ બ્લોગ ઉપર આપનું હર્દય પૂર્વક આવકાર કરું છું. પુન પધારજો. *

Sunday, December 12, 2010

ચાંદોદ રેવાતટ નું પવિત્ર તીર્થધામ



શ્રી નર્મદાજી ના તટ ઉપરે, ચારું ચંડીરે ગ્રામ
મહિમા વખાણું સ્થળ તણો, સમોવડ વૈકુંઠધામ.
                                  -  ભક્ત કવિશ્રી દયારામભાઈ.

ગુજરાત ના વડોદરા જીલ્લા ના ડભોઇ તાલુકા માં આવેલ ચાંદોદ પાવન પવિત્ર અને પૃથ્વી પર ની દર્શનમાત્ર થીજ પુણ્ય આપનાર શ્રી નર્મદા નદી ના કાંઠા નું એક ઉત્તમ તીર્થ મનાય છે.

ચાંદોદ એ પાવન પવિત્ર એવી શ્રી નર્મદાજી ના ઉત્તર તટે આવેલ છે. 
નર્મદાજી ના કાંઠે આવેલા આમતો બધાજ તીર્થો ઉત્તમ મનાય છે પણ વિશેષત: ચાંદોદ ને ખુબજ મહત્વ આપવામાં આવે છે તેનું કારણ છે કે ચાંદોદ ની પાસે નર્મદાજી ઉભયતટી છે. નર્મદા મૈયાજી ની મીઠી ગીરી કંદરા માં વસેલ ચાંદોદ ક્યારેક માના પુનીત સ્પર્શ થી પાવન થઈને અનહદ ધન્યતા પ્રાપ્ત કરે છે તો ક્યારેક રુદ્રદેહા નર્મદા ના પ્રચંડ પ્રકોપ ને વહોરીને તારાજી નો અનુભવ પણ કરે છે.છતાંપણ, ચાંદોદ નર્મદે હર ! નર્મદે હર ! કે જય નર્મદા ના જયઘોષ થી પ્રફ્ફુલિત થઈને હરહંમેશ પોતાની ધન્યતા નો આવનારા દરેક યાત્રાળુઓ ને મીઠો અનુભવ કરાવતું રહ્યું છે. આ નાનકડા ગામ ની પ્રજા તો નર્મદા મૈયા ના પાવન ચરણો ની રજ પામી ને કે તેના પવિત્ર જળ માં સ્નાન કરીને ગૌરવાન્વિત થઇ ગઈ છે. દરમાસ ની પૂનમે કે પછી બીજા તહેવારો માં આ તીર્થ માં ગૌરવ સમા મલ્હારાવ ના ભવ્ય કિનારે હજારો યાત્રાળુઓ સ્નાન કરીને પોતાને ધન્ય કરે છે સાથે સાથે કર્મકાંડ કરીને યજમાનો નું કલ્યાણ કરતા વેદોક્ત બ્રાહ્મણો ને જોઇને પુલકિત થઇ જવાય છે. 

ચાંદોદ નું ભૌગોલિક વિવરણ :

ચાંદોદ ની પૂર્વ તરફે માંડવા સ્ટેટ ની હદ લાગી કરનાળી વગેરે ચતુ:સીમા સ્થળે જવાનો રસ્તો છે. પશ્ચિમ બાજુએ મરવાડી ની ખાડી સુધી હદ લાગી ભીમપુરા વગેરે ગામ તરફ જવાય છે. ઉત્તરે ફરી માંડવા સ્ટેટ ની હદ આવેલી છે, અને દક્ષીણે મલ્હારાવ નો ભવ્યાતિત ઘાટ આવેલ છે.
ચાંદોદ એ નર્મદા કિનારે આવેલું હોવાથી, તેમજ પૂર્વ તરફથી કરનાળી તરફ ના સુશોભિત ઘટાદાર વૃક્ષો ની ભરમાર અને પશ્ચિમે ગંગેશ્વર મહાદેવ નું સુંદર દેવાલય હોવાથી કિનારા ઉપર નું ખુબજ સોહામણું સ્વરૂપ ધરાવતું એક શ્રેષ્ઠ પર્યટન સ્થળ બની ગયું છે. 
રાજકીય સરહદ પ્રમાણે જોઈએ તો ગાયકવાડ સરકાર ના ગામોમાં ડભોઇ રેલ્વે નું આ છેલ્લું સ્ટેશન છે તે ચાંદોદ. " વડોદરા પ્રાંત સર્વસંગ્રહ " આ રાજકીય વ્યવસ્થા સંબંધી પુસ્તક માં ચાંદોદ નું ભૌગોલિક વિવરણ કરવા માં આવેલ છે.